કપૂરને સાચી રીતે વાપરશો તો ઘણી બધી તકલીફ થઇ જશે દૂર, જાણો કપૂરથી કેવી રીતે મળશે રાહત… - Gujju Gk

27 May 2021

કપૂરને સાચી રીતે વાપરશો તો ઘણી બધી તકલીફ થઇ જશે દૂર, જાણો કપૂરથી કેવી રીતે મળશે રાહત…

 

કપૂરથી તમારા ઘરને મચ્છર રહિત બનાવો... 


બજારમાં મચ્છર તેમજ જીવજંતુઓ મારવાની અસંખ્ય દવાઓ ઉપલબ્ધ છે... જેમાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જે જંતુઓને તો ઘરમાંથી દૂર રાખે છે પણ માનવ શરીર માટે પણ હાનિકારક હોય છે....અને ઘણી બધી શ્વાસ સબંધી એલર્જીઓ પેદા કરે છે... 


 કપૂર એ એક સંપૂર્ણ કુદરતી પદાર્થ છે, જે ખુબ જ સુરક્ષિત રીતે મચ્છરને ઘરથી દૂર રાખે છે. તમારા ઘરને મચ્છર રહીત રાખવા માટે તમારે કપૂરની કેટલીક ગોળીઓ બાળવાની છે, અને તે વખતે તમારે તમારા ઘરની બધી જ બારીઓ બંધ રાખવાની છે. તે માત્ર તમારા ઘરને સુંદર સુવાસથી જ નહીં ભરે પણ તેનાથી તમને શાંત ઉંઘ પણ આવશે કારણ કે ત્યારે તમને મચ્છર હેરાન નહીં કરે....


કપૂર  તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે...


નાકમાંથી પાણી વહેવા કરતાં વધારે સમસ્યા તમને નાક બંધ હોય ત્યારે થાય છે. જ્યારે તમને શરદી થઈ હોય અને તમે નિરાતે શ્વાસ ન લઈ શકતા હોવ ત્યારે, કપૂર તમને તે માટે મદદ કરી શકે છે....


 તે માટે તમારે એક કટોરો પાણી ગરમ કરવાનું છે અને તેમાં કપૂરની કેટલીક ટીકડી નાખવાની છે. ત્યાર બાદ તેની વરાળ લેવાની છે. જો તમે વરાળ લેતી વખતે તમારું માથુ ટુવાલ કે કોઈ મોટા કપડાંથી ઢાંકી લેશો તો તે વધારે મદદરૂપ થશે....


 પગના તળિયા દુઃખતા હોય ત્યારે કપૂરનો ઉપયોગ.. 


 તમારી પગની પાનીઓ દુખે તો તે માટે તમારે ઠંડાપાણીનો શેક કરવાની જગ્યાએ પગની પાની પર કપૂરનું માલિશ કરવાથી તમારી જે સેન્સરી નર્વ્સ હોય છે તે બહેરી થઈ જશે અને તેના કારણે તમને પગના દુખાવાનો અનુભવ નહીં થાય. તેનાથી સોજા પણ ઉતરે છે કારણ કે તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પાવર રહેલો છે.... 


ફુગ દૂર કરવા માટે કપૂર... 


આપણા પગના નખ હંમેશા  ખુલ્લા હોય છે. તેમાં થતાં પરસેવા તેમજ પાણીના સંપર્કમાં રહેવાથી તેને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે.... 


જે લોકોને ઓનીકોમાઇકોસિસની સમસ્યા હોય તેમના પગની આંગળીના નખ ધીમે ધીમે કાળા પડી જાય છે અને નબળા પણ પડી જતા હોય છે.


 આ ફુગના ચેપને દૂર કરવા માટે તમારે તમારે કપૂરની કેટલીક ટીકડીઓને પાણીમાં ઓગાળવાની છે અને તે પાણીમાં તમારા પગ પલાળી રાખવા. આ પ્રયોગનું સતત પુનરાવર્તન કરતા રહેવું તેમ કરવાથી તમને તમારા પગના આંગળા પહેલા જેવા સ્વસ્થ થઈ જશે....


સાંધાના દુઃખાવા દૂર કરવા માટે કપૂર... 


આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે હુંફાળા કોપરેલ તેલમાં કપૂર મીક્સ કરી તેનું મસાજ કરવાથી સાંધાના દુઃખાવામાં રાહત થાય છે. ગંભીર રોગો જેમ કે સંધીવા, ગઠિયા વિગેરે સાંધાના દુખાવાની સમસ્યામાં તમને તમારું આખું શરીર દુઃખે છે, તે સંજોગોમાં તમે તમારા શરીર પાસે નાની સરખી પણ હલચલ કરાવી શકતા નથી...


 કપૂરના આ મસાજથી તમારા શરીરને નવજીવન મળે છે અને સોજાના કારણે થતાં દુઃખાવામાં પણ રાહત મળે છે. નાહવા જતા પહેલા આ પ્રયોગ કરવો જોઈએ તેનાથી તમારું શરીર સ્ફુર્તિલું બની જશે....


સારી ઉંઘ માટે કપૂર... 


આખા દીવસની ચિંતા, થાક તેમજ મનમાં ચાલતા જાત-જાતના વિચારોના કારણે લોકોને તરત ઉંઘ નહીં આવવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે..... 


જો તમે હંમેશા ઉંઘવાના સમયે પડખું ફેરવતા હોવ તો તમારે સારી ઉંઘ માટે કપૂરોનો આ પ્રયોગ અજમાવવો જોઈએ. અરોમાથેરાપીમાં કપૂરને બાદશાહ ગણવામાં આવે છે..... 


તેની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને તમને એક શાંત સ્થિતિમાં લઈ જાય છે અને આમ થવાથી તમને ઉંઘ પણ સરસ આવી જાય છે....


 આ પ્રયોગ માટે સુતા પહેલાં તમે તમારા ઓશિકા નીચે કપૂરની કેટલી ગોળીઓ રાખી શકો છો જેથી કરીને સતત તેની સુવાસ ફેલાયા કરે અથવા તો તમે કપૂરના તેલને પણ તમારા ઓશીકા પર ઘસી શકો છો....


વાળમાં થયેલી  જુ દૂર કરવા માટે કપૂર.. 


કપૂર વાળની જું દૂર કવરા માટે ઉત્તમ ઔષધી છે. તે માટે તમારે કપૂરની ગોળીનો ભુક્કો કરી તેને હુંફાળા કોપરેલ તેલમાં મીક્સ કરી દેવું. હવે આ તેલનું વાળમાં હળવેથી માલિશ કરવું. તેને આખી રાત રહેવા દેવું અને સવારે શેમ્પુથી વાળ ધોઈ લેવા....કપૂરમાં રહેલી કેટલીક સુધીંગ પ્રોપર્ટીઝ તમને ખજવાળની સમસ્યાથી પણ રાહત આપશે.


પગની એડી કોમળ બનાવવા માટે કપૂર.. 


 જો તમારી પગની એડી શુષ્ક હોય અને તેમાં વાઢિયા પડી ગયા હોય તો તેને સુધારવા માટે તમારે કપૂરનો ઉપયોગ કરવો જોઈએ....


 હુંફાળા પાણીમાં થોડુ કપૂર ઉમેરો અને તે પાણીમાં તમારા પગને 15 મીનીટ સુધી પલાળી રાખો. જ્યારે પગના તળિયાની ત્વચા સુંવાળી થઈ જાય ત્યારે તેના પર પ્યુમિક સ્ટોન ઘસો જેથી કરીને તેના પર રહેલી નીર્જીવ ત્વચા દૂર થઈ જાય. આ પ્રયોગને નિયમિત કરવાથી તમને સુંદર સુવાળી એડી મળશે....


તમારા કપડાને ફ્રેશ રાખવા તથા કપડામાંથી જીવાતને દૂર રાખવા..

સામાન્ય રીતે આપણે આપણા કબાટમાં તે જીવાતને દૂર રાખવા માટે નેપ્થેલીનની ગોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેની ગંધ એટલી સારી નથી હોતી...

 પણ તેની જગ્યાએ તમારે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. કપૂર પણ તે જ જંતુનાશક ગોટીઓ જેવું જ અસરકારક છે. પણ તેનો બીજો એક ફાયદો તેની સુવાસ છે. જે તમારા કપડાંને સુગંધથી ભરી દેશે.... 

અજમાવી જુઓ ફાયદો જરૂર થશે...

No comments:

Post a Comment