ગુજરાતી સાહિત્ય || સાહિત્યકારોની લાક્ષણિકતા - Gujju Gk

20 March 2021

ગુજરાતી સાહિત્ય || સાહિત્યકારોની લાક્ષણિકતા

✍નરસિંહ મહેતા : ભક્ત કવિ , આદિ કવિ

✍મીરાં : પ્રેમદીવાની,  જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}

✍અખો : જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર

✍પ્રેમાનંદ : આખ્યાન શિરોમણિ, મહાકવિ, માણભટ્ટ

✍શામળ : પ્રથમ પદ્યવાર્તાકાર

✍દયારામ : ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ,                      ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા એ કહેલ)

✍નર્મદ : નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક સર્જક, અર્વાચીન ગદ્યનો પિતા (ક.મા.મુનશી એ કહેલ)

✍દલપતરામ : લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક

✍રણછોડ્ભાઈ ઉદયરામ દવે : ગુજરાતી નાટ્કના પિતા

✍ગોવર્ધનરામ મા. ત્રિપાઠી : પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ

✍મણિલાલ નભુભાઇ દ્રિવેદી : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ

✍નરસિંહરાવ દિવેટીયા : સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ

✍રમણભાઈ નીલકંઠ : સમર્થ હાસ્યકાર,મકરંદ

✍બાલાશંકર કંથારિયા : ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ

✍આનંદ્શંકર ધ્રુવ : સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

✍રમણલાલ વ. દેસાઇ : યુગમૂર્તિ વાર્તાકાર

✍મણિશંકર રત્નજી ભટ્ટ : મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક

✍સુરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ , (કલાપી : ) અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર

✍ન્હાનાલાલ : ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત

✍બલવંતરાય ક. ઠાકુર : બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા

✍ એલેકઝાંડર ફાર્બસ : ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

✍દામોદર ખુ. બોટાદકાર : ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ

✍ કાકાસાહેબ કાલેલકર : સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર

✍પં. સુખલાલજી : પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર

✍સિકલાલ પરીખ : રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર

✍ઉમાશંકર જોશી : વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી

✍ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ : જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા

✍ઝવેરચંદ મેઘાણી : રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક

✍ક.મા.મુનશી : સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

✍જ્યોતીંદ્ર દવે : પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ

✍ગૌરીશંકર ગોવર્ધનરામજોશી ‘ધૂમકેતુ’ :  ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર

✍પન્નાલાલ નાનાલાલ પટેલ : ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ  વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક

✍રાજેંદ્ર કેશવલાલ શાહ : કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ

✍નિરંજન નરહરિભાઈ ભગત : ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ

✍નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’ : બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ

✍ચુનીલાલ કાળીદાસ મડિયા : ગ્રામજીવનના સમર્થ સર્જક

✍ચંદ્રકાંત કેશવલાલ બક્ષી : બંડખોર સર્જક

✍રાવજી છોટાલાલ પટેલ : દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર

✍રઘુવીર દલસિહ ચૌધરી : જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)

✍મનુભાઈ રાજારામ પંચોળી : (દર્શક) ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જક

✍લાભશંકર જાદવજી ઠાકર : (લઘરો  પુનર્વસુ, )પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક

✍ગુણવંતરાય આચાર્ય : સાગરજીવનના સમર્થ આલેખક

✍પ્રહલાદ પારેખ : સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’

✍જયંતિ દલાલ : સાહિત્યકાર અને સમાજ સેવક

✍સ્વામી આનંદ :(હિંમતલાલ રામચંદ દવે) અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ

✍રામનારયણ વિશ્વનાથ. પાઠક : મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

✍ઈશ્વર મોતીભાઈ પેટલીકર : ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક  સર્જક

✍રણજીતરામ વાવાભાઇ મહેતા : ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રર્વતક

No comments:

Post a Comment