ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - Gujju Gk

17 September 2021

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


૧. રંગભૂમિના કયા કલાકાર કાઠિયાવાડી કબૂતર તરીકે ઓળખાતા હતા  ?

- આણંદજી પંડ્યા


૨. રંગભૂમિના કયા કલાકાર લખનૌરી તેતર તરીકે ઓળખાતા હતા ?

- પ્રાણસુખ મણિલાલ નાયક


૩. રંગભૂમિ પર ખલનાયકની શ્રેષ્ઠ અદાકારી બદલ કયા કલાકારને એડિપોલોનું બિરુદ મળ્યું હતું  ?

- પ્રાણસુખ નાયક


૪. પારસી ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક કયું છે ?

- રૂસ્તમ જાંબુલી અને સોરાબ


૫. પારસી ગુજરાતી રંગભૂમિ પર સૌ પ્રથમ દિગ્દર્શન પદ્ધતિ ઊભી કરનાર કોણ હતા ?

- કેખુશરો કાબરાજી


૬. ગુજરાતી નાટકમાં સૌપ્રથમ ગઝલ આપનાર કવિનું નામ શું છે ?

- પ્રભુલાલ દ્વિવેદી


૭.ગુજરાતી દેશી નાટક તખ્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

- કેખુશરો કાબરાજી


૮.જૂની ગુજરાતી રંગભૂમિનાં બીજાં સુંદરી તરીકે કોણ ઓળખાય છે  ?

- અમૃત જાની


૯. ક્યાં કલાકાર  ગુજરાતી રંગભૂમિના દિલીપકુમાર તરીકે ઓળખાય છે  ?

- અશરફખાન


૧૦. ભવાઈ અને રંગભૂમિના કયા કલાકાર રંગલો તરીકે ઓળખાય છે  ?

- જયંતી પટેલ


ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?

- સીદી


2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?

- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત


 3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?

- મારુ- ગુર્જર


4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?

- જયા


5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?

- રાણી સિપ્રીની મસ્જિદ


6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ?

- અહમદશાહનો રોજો


7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ?

- અમદાવાદ


8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?

- અજયપાળનો પાળિયો


9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?

 - શૂરાપૂરા


10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?

- ઠેસ


11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?

- આટકોટ


12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે  ?

- સુરધન


ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


1.ગુજરાતના‌ આદિમ જૂથમાં સમાવિષ્ટ કયા આદિવાસીઓની વસતિ સૌથી વધુ છે ?

- કોલધા


2.ગુજરાતનો સૌથી મોટો રોજો કયો ગણાય છે ?

- સરખેજનો રોજો


3.રસનિરૂપણ સાથે સંકળાયેલ ભાવ ના પ્રકાર કેટલા છે ?

- ચાર, સ્થાયી ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવ 


4.રોદ્ર રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- શિવ


5.હાસ્ય રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- વામન


 6.બીભત્સ રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- મહાકાળ


7.શાંત રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે ?

- હરિ


 8.અદ્ભુત રસનો અધિષ્ઠાતા દેવ કોણ છે  ?

- બ્રહ્મા


9.કયા સ્થળે તેતરની લડાઈ થઈ હતી જ્યાં હાલમાં 100 જેટલા પાળિયા મોજુદ છે ?

- મૂળી


10.તેતરની લડાઈમાં શહીદી વહોરનાર મુંજાજી પરમાર અને તેમની પાછળ માતૃભાવે સતી થયેલાં ‌માતા જોમબાઈનો પાળિયો ક્યાં આવેલ છે ?

- મૂળી 


ગુજરાતનો સાંસ્કૃતિક વારસો


1.વડોદરામાં આવેલ કીર્તિમંદિર શું છે? 

-ચિત્ર-પ્રદર્શન સ્મારક


2.પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી? 

- લીલુડી ધરતી


3.મસ્જિદની અંદર જવા-આવવાના રસ્તાને શું કહે છે?

 - ગલિયારા


4.વ્યકિતના અવસાન બાદ કયું પુરાણ 

વંચાવવાની પ્રથા છે?

 - ગરુડપુરાણ 


5.કયા શહેરનો સોન હલવો વખણાય છે? 

- ખંભાત


6.ગુજરાતમાં કઈ પ્રરિક્રમાઓનુ વિશેષ મહત્વ છે?

 - નર્મદા, શેત્રુંજય અને ગિરનાર


7.કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા? 

- કોરી


8.અમદાવાદ ઉપરાંત કયા સ્થળે ભદ્રનો કિલ્લો આવેલો છે?

 - પાટણ


9.ષડ્ઋતુઓ કઈ કઈ છે?

 - હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ


10.કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે?

 - સિંધી

No comments:

Post a Comment